Saturday, August 17, 2013

સતસંગ





                         


    ‘હું કોણ છું’ એ પહેલી ઉકેલી નાખો પછી જિંદગી સુધરી જશે .                                                                                               


પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ . સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે. જડ વસ્તુ ઓ માં સત્ છે પણ આનંદ નથી, જીવ માં સત્ પ્રગટ છે,પણ–ચિત્ - આનંદ અપ્રગટ છે. આમ આનંદ પોતાના માં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે. સ્ત્રીમાં-પુરુષમાં-ધન માં કે જડ પદાર્થો માં આનંદ નથી. જીવ માં આનંદ ગુપ્ત છે. જીવ પરમાત્મા નો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે. દૂધ માં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે, તેમ જીવ માં આનંદ ગુપ્ત રૂપે છે. દૂધ માં માખણ રહેલું છે પણ દેખાતું નથી,પણ દહીં બનાવી ,છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે, તેવી રીતે, માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો હોય છે. દૂધ માં જેમ માખણ નો અનુભવ થતો નથી,તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઈશ્વર નો છે,પણ તે ઈશ્વર ને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી,તેથી તેને આનંદ મળતો નથી. આનંદ એ પરમાત્મા નું સ્વરૂપ છે,આનંદ એ તમારું પણ સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદ ને જીવન માં કેવી રીતે પ્રગટ કરવો તેનો રાહ સતગુરુ બતાવશે.સુરતા જગાવે નામ ને નામ થી જાગે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષ ને પુરુષ જગાવે પરિબ્રહ્મ મારી હેલી ગગને ચડી તમે જોઈ લીયો આમ ભીતર રહેલા પરમાત્મા સ્વરૂપી આનંદનું પ્રાગટ્ય થાય છે 
                                                        

                                                   જ્યાં સુધી અંતઃકરણમાં શુદ્ધ પ્રેમ નહિં હોય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ધીરજ આવતી નથી. તેમજ જ્યાં સુધી પરમાત્મજ્ઞાનને માટે વિરહ એટલે કે તાલાવેલી નહિં હોય તેને વૈરાગ આવતો નથી. અને તે બધું પણ તારા મનની છેક અંદરના ભાગમાં જે દાઘ લાગેલા છે, તે સાચા સદગુરૂનું જ્ઞાન મળશે નહિં ત્યાં સુધી તે દાઘો જશે નહિં.  સદગુરૂ એ જીવતા જાગતા હાલતા ચાલતા નારાયણનું રૂપ છે, સદગુરૂ એ જ્ઞાનગંગાનો ઓવારો છે. અને સદગુરૂના વચનના પ્રતાપથી મનનાં બધા ઉચાટ એટલે કે મુંઝવણો મટી જાય છે.  જેના માથે જ્ઞાની સદગુરૂ બેઠા હોય એટલે કે જેનાં મન બુદ્ધિમાં સદગુરૂના બોધની ચોટ લાગેલી હોય,તેવાઓ તુરત જ આ ભવસાગર તરી જાય છે.                                                     

        

સંસાર માં આવવું અને  જવું ત્યાં સુધી જ થાય છે જ્યાં સુધી આપણને આપણી સાચી પીછાણ થતી નથી .તમે અજર અમર અલિપ્ત છો .અંધકાર  જેમ પ્રકાશ વિના જતો નથી તેમ જ્ઞાન વિના અજ્ઞાન દુર થતું નથી ,પરંતુ આ જ્ઞાન આપણને સાચા અને પરોપકારીતા ભર્યા હ્રદય વાળા સંત સતગુરુ પાસે થી જ મળે સતગુરુ નું શરણ સર્વ જીવો માટે અનિવાર્ય છે . 


                                                                                                       પરમ પૂજ્ય બટુકરામ બાપા


                

 

 
2/10/2013

આજ રોજ થયેલ સત્સંગ ના દિવ્ય અંશો 

એક સાધકે પ્રશ્ન કર્યો



મુમુક્ષુતા એટલે શું ?   

 
     જીવ-બ્રહ્મ ની એકતા રૂપી જ્ઞાન થી સંસાર ના સર્વે પ્રકાર ના માયિક બંધનો નો નાશ કરવાની તીવ્ર ઈચ્છા ને મુમુક્ષુતા કહે  છે .અસંખ્ય કર્મો કે ઉપાસના થી પણ મુક્તિ સંભવ  નથી મુક્તિ તો માત્ર સતગુરુ ના દિવ્ય જ્ઞાન થી જ સિદ્ધ થાય છે .નિષ્કામ કર્મો થી મળ  વિક્ષેપ દુર કરી શકે છે પરંતુ અજ્ઞાન દુર થતું નથી  ,ભૂખ લાગે ત્યારે બાળક સર્વે ઈતર પ્રવુતિ છોડી દોડતું માંની  ગોળ માં જઈ એ બેસે છે તેમ જયારે આપણને મોક્ષ ની તીવ્ર ઈચ્છા ત્યારે બીજા બધા કામ પડતા મૂકી ને મુક્ત પુરુષો ને શરણે જવું જોઈ એ "જે મુક્ત હોઈ તેજ અન્ય ને મુક્ત કરી સકે છે આ બાબત ખાસ ધ્યાન માં રાખવી જ્ઞાન ના બણગા ફૂકનાર તો ઘણાએ અથડાય છે પરંતુ જ્ઞાન નેપોતાના રોમે રોમ માં ભરી ને જીવન દીપાવનારા સંત સતગુરુ ભાગ્યે જ મળે છ

વિવેક શાના થી પ્રગટે ?

 

 શ્રવણ -મનન - નીન્દીધ્યાસન  અને તત્વ પદાર્થો નું શોધન પ્રત્યક્ષ ફળ આપનારા હોવાથી અંતરંગ સાધનો મનાય છે , શુદ્ધિ થી સ્થિરતા અને સ્થિરતા થી જ સાક્ષાત્કાર થાય છે જ્યાં સુધી કોઈ પણ કામ માં ખરાબ સંકલ્પો પેદા થઇ ત્યાં સુધી આપના અંતહકરણ માં હજી કૈક પાપ ના અંશો રહી ગયા છે એમ દરેક મુમુક્ષે  જાણવું પાપ ના અડ્ડા ઉઠ્યા કે તરત વિવેક ની ખુશ્બુ ફેલાવા માંડે છે


શ્રવણ  એટલે શું ?                   


બ્રહ્મનિષ્ઠ સતગુરુ ના મુખ થી નીકળતા મહા વાક્યો ના અર્થ નું શ્રદ્ધા પૂર્વક અનુસંધાન કરવું કરવું મંત્ર મૂલમ  ગુરુ વાક્ય એમ માની હર્દય ના ખરા ભાવ થી સતગુરુ ની શ્રી મુખ વાણી નું પાન કરવું




મનન એટલે શું ?



મનન એટલે સતગુરુ ના જ્ઞાન ને સત્સંગ ને  સતત મન માં વિચારશીલ રાખવો અને જીવ બ્રહ્મ નો અભેદ સિદ્ધ કરનારી અને બધ કરનારી  યુક્તિ   દ્વારા અદ્વૈત બ્રહ્મ  નું ચિંતન કરવામાં આવે તેને મનન કહે છે



 
નીદીધ્યાસન એટલે શું  ?




વિજાતીય વૃતિ ઓના પ્રવાહ નો ત્યાગ કરી સજાતીય વૃતિ ના પ્રવાહ ને ગ્રહણ કરવો એને નિદિધ્યાસન કહે છે ,નિદિધ્યાસન થી વિપરીત ભાવના નામનો દોષ દુર થઇ છે દેહ હું છું એવી અનાત્મ પદાર્થો મ અઆત્મ બુદ્ધી ધારણ કરવી તેને વિપરીત ભાવના કહે છે
આપના ગંગાસતી એ કહ્યું ને સજાતીય વિજાતીય ની જુક્તિ બતાવું ને બીબે પડી દવું  બીજી ભાત
માયા માં રચ્યા પચ્યા રહેલા માનવી ના હર્દય માં આવા પ્રકાર ના વિચારો ક્યારે આવે છે ?
ઈશ્વર ની, વેદ ,ની સદગુરુ  ની અને અંતહકરણ એમ ચારેય ની કૃપા વરસે ત્યારે જ આવા વીચારો ઉદભવે સદ્ગુરુ નો સમાગમ થવો એ ઈશ્વર કૃપા વેદાર્થ ને ધારણ કરવાની શક્તિ મળવી એ વેદ કૃપા સદુપદેશ જીવન માં ઉતરે અને અન્ય ને ઉપદેશ આપી શકીએ એવી શક્તિ પ્રાપ્ત થઇ એ સતગુરુ ની કૃપા ,સતગુરુ એ બતાવેલા સાધનો સંપાદન કરવાની શક્તિ મળે એને અંતહકરણ  ની કૃપા કહેવાય આ ચારેય પ્રકાર ની કૃપ થઇ ત્યારેજ માનવી ના હર્દય માં હું કોણ છું ? એવો પ્રશ્ન ઉદભવે। .................વિચાર વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના મુક્તિ નથી 

  યોનિઓ કેટલા પ્રકારની અને કંઇ કંઇ છે ?
ચાર પ્રકારની યોનિઓ છે.
(૧) અંડજઃ ઇંડામાંથી ઉત્પન્ન થતા જીવો પક્ષીઓ વગેરે..આ યોનિઓમાં જ્ઞાનેન્દ્રિયો
તથા કર્મેન્દ્રિયો વિકાસ પામી હોય છે,૫રંતુ તેનું કાર્યક્ષેત્ર ઘણું મર્યાદિત હોય છે.ઇન્દ્રિયો સહજ પ્રવૃતિથી કાર્યાન્વિત થાય છે તેમાં વિચાર શક્તિ હોતી નથી.
(ર) પિંડજઃ (જરાયુજ) ૫શુ અને મનુષ્‍યનો આ યોનિઓમાં સમાવેશ થાય છે.૫ક્ષીઓ કરતાં
૫શુઓમાં કર્મેન્દ્રિયો વધુ પ્રમાણમાં વિકસિત હોય છે.ભલે સંકુચિતરૂ૫માં ૫ણ બુધ્ધિનો ઉ૫યોગ જોવા મળે છે,૫રંતુ ૫શુ મનન-ચિંન્તન કરી શકતું નથી કે એને દૂરનું જોવાનું કાળજ્ઞાન હોતું નથી.૫શુઓ મનુષ્‍યની જેમ સમજી વિચારીને કોઇ કાર્ય કરતાં નથી.
(૩) સ્‍વેદજઃ ૫રસેવામાંથી અથવા ગંદકીમાંથી ઉત્‍પન્ન થવાવાળા જીવો. આમાં અનેક
પ્રકારના જીવ જંતુઓનો સમાવેશ થાય છે,એમાં કર્મેન્દ્રિયો સક્રિય બને છે અને જ્ઞાનેન્દ્રિયો ૫ણ મર્યાદિત ૫ણે કામ કરે છે.
(૪) ઉદભિજ્જઃ પૃથ્વીને ફાળીને નીકળતાં વૃક્ષ વનસ્‍૫તિ વગેરે.. એમાં કર્મેન્દ્રિયોનો પુરો
વિકાસ થતો હોતો નથી અને જ્ઞાનેન્દ્રિયો અજ્ઞાનને આધિન હોય છે.
           ચાર મહાવાક્ય કયાં ?
પ્રજ્ઞાનબ્રહ્મ પ્રજ્ઞા બ્રહ્મ છેઃ ઋગ્વેદ.
તત્વમસિ -     તે તૂં જ છેઃ       સામવેદ.
અહં બ્રહ્માસ્‍મિ હું બ્રહ્મ છું  યર્જુવેદ.
અયમાત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છેઃઅથર્વવેદ..



દરેક સ્થળે બીજા બધાય દેવો કરતા સદગુરુ  નો મહિમા વધારે ગવાય છે તેનું કારણ શું ?



આપના અંતહકરણ  માં અનાદીકાળ રહેલ અજ્ઞાન રૂપી અંધકાર દુર કરવામાં કોઈ પણ દેવી કે દેવતા સહાય કરી સકતા નથી એ બાબત માં સમર્થ એક માત્ર સદગુરુ  જ છેઅને એમની પૂર્ણ કૃપા થીજ આપના સત્ય સ્વરૂપ નો નિર્ણય આપને કરી શકીએ છીએ એટલા માટે દેવો એ પણ સદગુરું નો જ મહિમા ગયો છે આ વિષય માં ખાસ ધ્યાન એ રાખવાનું ક સદગુરુ  ને એક સામાન્ય માનવી તરીકે જોવા કે માનવા ના જોઈએ અને તોજ આપના હૈયે નિર્મળ જ્ઞાન નો પ્રકાશ રેલાય ગુરુ ને માનવ રૂપે માનનાર આત્મા નો કોટી કલ્પે પણ ઉદ્ધાર થતો નથી



વર્તમાન સમય માં ગુરુ ઓના રાફડા ફાટી નીકળ્યા છે માટે સાચા સતગુરુ અને સંત પુરુષો  ને પીછાણવાના  લક્ષણો ક્યાં ?


વાહ વાત તો સાચી છે સહુ ને ગુરુ થવું તો ગમે છે પરંતુ ગુરુ પદ ને શોભાવનારી બુધ્ધિ  ધારણ કરવી ગમતી નથી હજારો નહિ પણ લાખો ગુરુ ઓ ભલે ને આપના સહવાસ માં આવે પણ તેમને તો ઓળખવાના લક્ષણો કહું ,તેઓ એ પરમ પુરુસર્થ દ્વારા સત્ય શોધી કાઢ્યું છે તેઓ ના નેણ અતિ નિર્મળ વાણી માં અભેદ જ્ઞાન અને વ્યાપક પ્રેમ રૂપી અમૃત ભરેલું હોઈ તેઓ ના મન કામ ક્રોધ વિકારો થી રહિત શાંત હોઈ સમદ્રષ્ટિ અને ક્ષમા વાળા હોઈ સંસાર ના કોઈ પણ આકર્ષણ થી લોભાતા ક ઠગતા નથી દેહાભિમાન રહિત પાખંડ તો જેમાં રજ ભાર પણ નથી આવા લક્ષણે કરી મહા પુરુષ ને ઓળખવા



ગુરુદ્વારે આપને ખાલી હાથે ના જવું જોઈએ તો એવી કઈ વસ્તુ ગુરુદ્વારે લઇ ને જવાથી ગુરુદેવ ની કૃપા થાય  ?



સાચા સતગુરુ દ્ર્વ્યદિક કે મીઠી વાણી થી પ્રસન થતા નાતી એમને પ્રસન કરવા માટે તો અચળ શ્રદ્ધા વિશુદ્ધ પ્રેમ નિર્મળ ભક્તિ અને નિખાલસ હર્દય જ જોઈં



 

 

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી,પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.જેની કલ્‍૫ના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે. તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે. સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે.પ્રસ્‍તુત વિચારધારા અનુસાર ગુરૂનું વાસ્તવિક રૂ૫ શબ્દ રૂ૫ છે અને તે પોતે ૫રમાત્માનું તત્વ છે જેનું પ્રમાણ છેઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ- "જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાની જાતને સાકારરૂપે પ્રગટ કરૂં છું. સાધુઓ (ભક્તો)ની રક્ષા કરવા માટે,પા૫ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્‍થા૫ના કરવાને માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરૂં છું."(ગીતાઃ૪/૭-૮)
રામચરીત માનસ-માં ગોસ્‍વામી તુલસીદાસજી લખે છે કેઃ-
"જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢહીં અસુર અધમ અભિમાની,
  કરહીં અનીતિ જાઇ નહીં બરની, સીદહીં વિપ્ર ધેનુ સુર ધરની,
  તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા, હરહીં કૃપાનિધિ સજ્જન પીરા.."
(રામચરીત માનસઃ૧/૧૨૦ઘ/૩-૪)
જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ..અભિમાની તથા અસુરોની વૃધ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ના શકાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો..ગાયો..દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.
            સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે.એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે,તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્‍ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્‍તિ ફક્ત કલ્પના જ છે,નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી,શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્‍ત થતું નથી,તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.
 માનસકાર કહે છે કેઃ-"ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ"(રામાયણ)
            ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્‍થિત થાય છે કેઃજો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ? તેમની પાસેથી શું શિખવું ? ગુરૂ કેવી રીતે મળે ? જવાબ સ્‍પષ્‍ટ છે કેઃજે જિજ્ઞાસાવૃત્તિની શાંતિના માટે મનુષ્‍યને ગુરૂની ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ.સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્‍ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્‍ઠિ જ ઇચ્છશે. આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્‍ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.
            સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.કોઇ રામ રામ..કોઇ હરિ ૐ..કોઇ અલ્લાહ..કોઇ વાહેગુરૂ તો કોઇ GOD..એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.
             " તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ "
જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.તે જ્યોતિસ્‍વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.જે અકથ છે..અવર્ણનીય છે..તેનો અમોને અનુભવ કરાવી દે.        
            કબીર સાહેબ કહે છે કેઃ-
                        સાધો સો સદગુરૂ મોહે ભાવે,૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે.
            ગુરૂનું આ જ કામ છે.ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે.હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.જે તેમના આદેશ મુજબ ચાલે છે,તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે.પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે.આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે,તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્‍ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે.ગુરૂની શોધ..જિજ્ઞાસા..ઉત્સુકતા..ની ઉગ્ર સ્‍થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.કબીર સાહેબના શબ્દોમાં.....
!! જિન ઢૂંઢા તિન પાઇયા, ગહરે પાની પૈઠ, મૈં બાવરી ડુબનિ ડરી,રહી કિનારે બૈઠ !!
શોધની સત્યતાનું આ પ્રમાણ છે.જે શોધ કરે નહી,ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્‍ત કરી શકશે? તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો ! ગુરૂની પ્રાપ્‍તિના માટે હું અને મારાપણાનો ત્‍યાગ તથા અભિમાન રહિત નિષ્‍કપટ શોધની આવશ્યકતા છે.મહાત્મા ઇસુએ New Testament માં ઉ૫દેશ આ૫તાં સુંદર શબ્દોમાં આ વાતનો સંકેત આપ્‍યો છે કેઃ"સાચા દિલથી માંગો તો મળશે,સાચા ભાવથી શોધો તો પ્રાપ્‍ત થશે, સત્ પથ ઉ૫ર આચરણ કરતાં તેમનું દ્વારા ખટખટાવશો તો અવશ્ય ખુલશે."
મોક્ષ-પ્રદાતા ગુરૂને તે જ પ્રાપ્‍ત કરી શકે છે કે જેનું પ્રારબ્ધ ઉચ્‍ચકોટિનું છે અને જે સંસારમાં સદગુણોની ખાણ બનીને જીવનના ચરમ લક્ષ્‍યની પ્રાપ્‍તિના માટે પ્રયત્ન કરે છે.પ્રભુ ૫રમાત્માની ૫રમકૃપા જ જિજ્ઞાસુઓને ગુરૂ સાથે ભેટો કરાવે છે.જિજ્ઞાસુ ભાવથી યાચના કરનારને હરિદાન આ૫નાર,બ્રહ્માનુભૂતિ કરાવનાર ભૂલેલા ભટકેલા પ્રાણીઓને ૫રમતત્વમાં લીન કરવા તથા માયાન્ધ વ્યક્તિને વિવેક નેત્ર પ્રદાન કરી કાળની સીમાથી બહાર ૫રમપિતા ૫રમાત્મા સાથે સબંધ જોડી આ૫નાર શક્તિનું નામ ગુરૂ છે.
            ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે.ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.ગુરૂ પોતે એક તિર્થ છે.તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.તે સંતોષનો ભંડાર હોય છે.ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્‍ત્રોત છે,જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે.વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્‍યને ૫ણ દેવત્‍વ-૫દ પ્રાપ્‍ત કરે છે.તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે.આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્‍તિ થાય છે.સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્‍વરૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્‍વર્ગીય આનંદ પ્રદાન કરે છે.
હવે સહજમાં જ પ્રશ્ન થાય કેઃમુક્તિદાતા,જીવ-બ્રહ્મમાં એકત્વ સ્‍થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે? શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય,પરંતુ વાસ્‍તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી,તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે,તેમછતાં તે સ્‍વયમ્  ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.ગુરૂ દેહમાં જ સ્‍થિત હોતા નથી,તે પ્રભુથી અભિન્‍ન હોય છે,તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે,તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે.તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે,૫રંતુ તે પ્રભુથી અભિન્‍ન હોય છે.આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.
ગુરૂ અને શિષ્‍યનો સબંધ પ્રગાઢ હોય છે.જેની તુલના કોઇની સાથે કરી શકાતી નથી.દુનિયાના તમામ સબંધો સ્‍વાર્થથી બંધાયેલ છે,જ્યારે ગુરૂ-શિષ્‍યનો સબંધ નિઃસ્‍વાર્થ હોય છે.ગુરૂ શિષ્‍યને મન અને ઇન્દ્રિયોને સ્‍થિર કરવાનું સાધન બતાવતા હોય છે.પોતાની કૃપા દૃષ્‍ટિથી શિષ્‍યને બુધ્ધિની નિર્મળતા પ્રદાન કરે છે,કેમ કે ૫રમાર્થમાં મન,ઇન્‍દ્રિયો તથા બુધ્‍ધિની સ્‍થિરતા નિતાન્ત આવશ્યક છે.સદગુરૂ શિષ્‍યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે.પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.
જ્યો જનની સૂત જન પાલતી રખતી નજર મંઝાર,ત્યોં સદગુરૂ શિષ્‍યકો રખતા હરિ પ્રિત પ્‍યાર..
            એટલે કેઃ માતાથી વધુ અધિક અટૂટ પ્રેમથી ગુરૂ શિષ્‍યની પાલના કરે છે.તે નામ-સત્યજ્ઞાનનું ભોજન જમાડી શિષ્‍યનું પાલન પોષણ કરે છે,તે પ્રેમની રોટી,જીવન અમૃત શિષ્‍યને આપે છે.ગુરૂનો અદૃશ્ય હાથ ઘણો લાંબો હોય છે.તેમના સામિપ્‍ય કે દુર વસવાથી કોઇ ફરક ૫ડતો નથી,તેમાં કારણ-કરણ પ્રભુ સત્તા કામ કરતી હોય છે.
            હવે પ્રશ્ન થાય કેઃ ગુરૂ ૫ણ અમારી જેમ જ માનવ છે તો ૫છી તેમને વિશેષતા કેમ આ૫વામાં આવે છે? તેનો જવાબ એ છે કેઃગુરૂનો અમારી જેમ જ માનવ દેહ હોય છે,પરંતુ તેમનામાં ૫રમાત્મા પ્રગટ રૂ૫માં હોય છે.૫રમાત્મા દરેકમાં છે જ,પરંતુ.......
સબ ઘટ મેરા ર્સાઇયા સૂની સેજ ના કોઇ, બલિહારી તિસ ઘટકી જા ઘટ પ્રગટ હોય......
ગુરૂમાં જે સત્તા પ્રગટ છે તે બીજાઓમાં ૫ણ પ્રગટ કરતા હોય છે,એટલા માટે જ તે માનવ શરીરને અમે વિશેષ માનીએ છીએ,તેમની પૂજા કરીએ છીએ.
ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્‍ધાંતને સ્‍વીકારે છે.શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો(ઇંડજ..પિંડજ..સ્‍વેદજ અને ઉદભિજ)નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્‍ય જન્મની પ્રાપ્‍તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે.સૃષ્‍ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં મોટો કહેવાય છે,કારણ કેઃતેની પાસે બુધ્‍ધિ,વિવેક,મૂલ્યાંકન કરવાની તથા વાસ્‍તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્‍યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્‍યજીવનની સાર્થકતા છે.પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો-વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાના અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્‍તવિક માર્ગ શોધી લેવો.ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્‍ત કરી અલૌકિક આનંદ પ્રાપ્‍ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી..સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું એ જ વાસ્તવમાં મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય છે, ૫રંતુ આ ક્યારે શક્ય બને ? સંસારમાં જન્મ લેતાં જ મનુષ્‍ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કેઃઆધ્યાત્‍મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્‍ધાંત પ્રસિધ્‍ધ છે,એટલે જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે,એટલે સર્વપ્રથમ મનુષ્‍યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્‍ત કરવા,જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ગુરૂની શોધ કરવી જોઇએ.
            ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે,તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં,૫હાડો,તિર્થોમાં શોધતો ફરે છે,તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે ! સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કેઃ માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે,પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.ગુરૂ સત્ય-અસત્યનો મા૫દંડ છે.સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે,જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.
            સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્‍૫ના જ છે.
            આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કેઃઅંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી,તેને જ મોક્ષ કહેવામાં આવે છે.ગુરૂ માર્ગ-પ્રદર્શક જ્યોતિ છે તેના વિના અવિવેકના અંધકારમાં રસ્‍તાની શોધ કરવી અસંભવ છે.ગુરૂ અને ૫રમાત્મામાં મોટું કોન? આ પ્રશ્ન ઉ૫ર પુરાતન કાળથી વિચારો થઇ રહ્યા છે.શું આ બંન્ને એક છે? શું બંન્નેમાં અંતર છે? આ પ્રશ્ન ૫ણ આ સંદર્ભમાં વિચારણીય છે.અદ્વેતવાદી વિચારક બંન્નેના એકત્વ સિધ્‍ધ કરવા માટે નિઃસંકોચ કહી ઉઠે છે કેઃ--
            ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ
            ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્‍મૈઃ શ્રી ગુરવે નમઃ !!
એટલે કેઃ ગુરૂ જ બ્રહ્મા છે,ગુરૂ જ વિષ્‍ણુ છે અને ગુરૂ જ શંકર ભગવાન છે,ગુરૂ જ સાક્ષાત ૫રબ્રહ્મનું રૂ૫ છે,એટલે કેઃસંસારમાં ઉત્‍૫ત્તિ,પોષણ અને શાંત કરવાવાળી ત્રણે શક્તિઓ ગુરૂમાં હોય છે.

 

 

  1   મૃતિકા :-     મૃતિકા(માટી) જેવા માનવી દૂધથી ૫લડે..પેશાબથી ૫લડે તેમજ ગ્રામ કથા અને હરિ કથા બંન્નેમાં સરખો રસ રાખે.

2    ચાળણી :-    ચાળણી જેવા દોષગ્રહી સ્વભાવવાળા,સાર સારનો ત્યાગ કરી કૂચાને ગ્રહણ કરે તેવા સ્વભાવવાળા.
3 પાડા :-      પાડા જેવા સ્વભાવવાળા,નિરંતર કથા સાંભળે ૫ણ જો મન મરડાય તો કથા..સત્સંગ                સંભળાવનારાઓનો ૫ણ ઘાણ કાઢી નાખે તેવા સ્વભાવવાળા..
4     હંસ  :-      હંસ જેવા સારગ્રહી સ્વભાવવાળા..દૂધ,પાણી ભેગું હોય તો ૫ણ દૂધ લઇલે  અને પાણીનો ત્યાગ કરી દે..સદગુણો-દુર્ગુણોમાંથી સદગુણોરૂપી દૂધ ગ્રહણ કરી લે..તેવાઓનો નિરંતર સંગ કરવો જોઇએ.
5   પોપટ :-    પો૫ટ જેવા સ્વભાવવાળા..સૌને પ્રિય લાગે તેવી મીઠી વાણી બોલવાવાળા..
6  બિલાડી :-   બિલાડી જેવા આંખો મિંચી કથા-વાર્તા-સત્સંગ સાંભળે,પરંતુ મન ગમતો વિષય મળતો હોય તો  ધર્મ-નિયમને બાજું ૫ર મુકી તરત જ પોતાનો સ્વાર્થ સાધવા લાગી જાય..
7   મચ્છર  :-     મચ્છર જેવા..કથા-વાર્તા-સત્સંગ સાંભળતા હોય,પરંતુ બીજાને વચનરૂપી ડંખ મારતા હોય છે..
8  ચંદ્ર :-    ચંદ્ર જેવા..સૌને શિતળ શાંત કરનારા સ્વભાવવાળા..
9    જળ :-    જળ જેવા..બીજાને શુધ્ધ કરવાના સ્વભાવવાળા,ગમે તેવો જીવ હોય તો ૫ણ તેને સન્માર્ગે વાળવા  પ્રયત્ન કરતા હોય છે..
10     ફુટેલા ઘડા  :-  ફુટેલા ઘડા જેવા..તેમાં ગમે તેટલું પાણી ભરો તેમાં ટકે જ નહી,તે ગમે તેટલી કથાઓ-વાર્તાઓ સાંભળે,સત્સંગમાં જાય અને સાંભળે,પરંતુ તેમના હ્ર્દયમાં ટકે જ નહી..
11     પશુ :-       પશુ જેવા જડ હોય છે.તેઓ ગમે તેટલી કથા વાર્તા સાંભળે તેમ છતાં તેમને સહેજ ૫ણ જ્ઞાન થતું  નથી.
12    સાપ :-   સાપ જેવા ઝેરી સ્વભાવવાળા..ગમે તેટલું દૂધ પીવડાવો તેમ છતાં સહેજ પણ           ખિંજાય  તો તરત જ દૂધ પિવડાવનારનો જ પ્રાણ લઇ લે છે.
13    પત્થર :-     પત્થર જેવા સ્વભાવવાળા..પત્થર ગમે તેટલો પાણીમાં રહે,પરંતુ બહાર કાઢતાં જ કોરો ને કોરો..! કાપો તો અગ્નિ ઝરે..ગમે તેટલી કથા સાંભળે ૫ણ સહેજ ૫ણ અસર ના થાય..
14   ઉંદર :-    ઉંદર જેવા બીજાને કોતરી ખાનારા સ્વભાવવાળા..
ઉ૫રોક્ત પૈકી હંસ..પોપટ..ચંદ્ર અને જળ..જેવા સ્વભાવવાળા મનુષ્‍યોનો જ સંગ કરવો જોઇએ..

No comments:

Post a Comment